મારા ઘરે હોટેલ જેવું ભોજન નથી બનતું ,
પકવાન મિઠાઈ પણ કોઈક જ વાર બને છે ,
છતા હે ! પ્રભુ તારો ખુબ ખુબ આભાર કે ,
મને પેટ ભરી ને ભોજન તો મળે છે ,
દુનિયા માં કેટલાયે લોકોને પેટની આગ સાથેજ
સુવાનો વારો આવે છે . માટે હે ! પ્રભુ તારો ખરા દિલ થી
ફરી વાર ખુબ ખુબ આભાર …….
તકરાર
માનવ સંબંધમાં તકરાર ઊભી થવાના પાંચ મુખ્ય કારણો:-
૧. અભિમાન
૨. ઈર્ષ્યા
૩. ક્રોધ
૪. લાલચ
૫. વહેમ
……………..
મુક્તા મેઘા
એક વાર કહી તો જુઓ કે આઈ એમ સોરી…
દુનિયામાં બે કામ સૌથી અઘરાં છે. માફી માગવી અને માફી આપવી. પોતાના ઈગોને માણસ કેટલો ઓગાળી શકે છે તેના ઉપર સંબંધોનો આધાર રહે છે. ઘણી વખત આપણે અભિમાનને સ્વાભિમાન ગણી લેતા હોઈએ છીએ
જિંદગીમાં એટલું ‘ભારે ‘ કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે. તમને પ્રેમ કરવાવાળા તમારાથી ડરવા ન જોઈએ. તમે તમારી વ્યક્તિની ભૂલ કેટલી માફ કરી શકો છો તેના પરથી જ નક્કી થતું હોય છે કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. તમે ઇચ્છતા હોવ કે તમારી વ્યક્તિ કંઈ જ છાનુંછપનું કે ખાનગી ન કરે તો એ તમારી સામે એ કરી શકે અને તમને ખુલ્લા દિલે એ કહી શકે એટલી હળવાશ આપો. કોઈને પોતાની વ્યક્તિનું દિલ દુભાવવું હોતું નથી. કોઈને દૂર જવું હોતું નથી. અસ્વીકાર જ અભાવ સર્જતો હોય છે. મહાન માણસ જ માફી માગી કે માફી આપી શકે છે. કાયરોનું એ કામ નથી. એક વાર કહી તો જુઓ કે આઈ એમ સોરી.
નિષ્ફળતા
આપણી દરેક નિષ્ફળતા એવું દર્શાવે છે કે સફળતા મેળવવા માટે આપણે કરેલા પ્રયત્નમાં કંઈક ખામી રહી ગઈ છે
……………
મુક્તા મેઘા
કાયરતા
કંઈક ખોટું થઇ જશે એમ વિચારી કોઈ કામ નાં કરવું એ આપણી તે કામ પ્રત્યેની કાયરતા છતી કરે છે
………
મુક્તા મેઘા