ગુજરાતી કવિતા…

તે મૂક બનીને કહેતી હતી,
હું કહીને ચૂપ રહેતો હતો.
શું હતી દ્વિધા ના સમજી શક્યા,
તે દુઃખી થઈને કહેતી હતી,
હું કહીને દુઃખી થતો હતો.

ક્યાંક વિસરી ગયા પરસ્પરના ભાવને,
કે પછી મનમેળના મળતાવને !
તે રુદનથી હૂંફ પામતી હતી,
હું હૂંફને સદા ઝંખતો હતો.

નિષ્ફળ નિવડ્યો એ પરસ્પરનો સ્નેહ,
કે પછી સફળ થયાં વિધિના લેખ.
તે વિશ્વાસને ખાતર નિઃસ્વાર્થ બની હતી,
હું નિઃસ્વાર્થ ભાવે વિશ્વાસ માંગતો હતો.

હવે, તો ક્યાં અટકશે આ જીવન,
કે પછી અટકી જશે આ જીવન.
તે આ જીંદગી મરીને જીવતી હતી,
હું આ જીંદગી જીવીને મારતો હતો.

-હાર્દિક કે. શર્મા ( હૃદય )

સવાલ જવાબ…

સ: કોણ કોઈનું સાંભળતું નથી.
જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.

સ: લગ્ન એટલે શું?
જ: બેમાંથી એક અને એકમાંથી અનેક!

સ: એક વખત હાથમાંથી ગયું તે શું?
જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.

સ: શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
જ: શ્રધ્ધા અને સંસ્કાર.

સ: શું ખાવાથી માણસો સુધરે છે?
જ: ઠોકર ખાવાથી.

સ: ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે?
જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.

સ: સુખના શત્રુ કોણ?
જ: અસંતોષ, વહેમ અને શંકા

સ: કોણ જીર્ણ થતું નથી?
જ: આશા, તૃષ્ણા અને વાસના.

સ: કોણ કોઈની પરવા કરતું નથી?
જ: બાળક

સ: અંધકારમાં આપણને કોણ વધુ તેજસ્વી લાગે છે?
જ: આવતીકાલ

સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું?
જ: આશાના મલમપટ્ટા બાંધવા.

સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાની ખોટ કેમ પુરાતી નથી?
જ: માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.

સ: શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું?
જ: ક્ષમા

સ: આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારો વાદ કયો?
જ: આશિર્વાદ

સ: માણસ પર કયો ગ્રહ વધારે ખરાબ અસર કરે છે?
જ: પૂર્વગ્રહ

સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમની પવિત્ર શાળા હોય તો પુરુષનું હ્રદય?
જ: ધર્મશાળા.

સ: મોટામાં મોટી ભૂલ કઈ?
જ: કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલી જવું એ શું મોટામાં મોટી ભૂલ નથી?

સ: યૌવન શું છે?
જ: યૌવન એ એવું વન છે કે જ્યાં અટવાઈ પડતાં વાર નથી લાગતી. નક્કી કરો કાંઈક અને નીકળોકાંઈક.

થોડું પ્રેમ વિષે…

પ્રેમ આપવો એ ફરજ છે..
પ્રેમ પામવ એ કળા છે..
તમે જેને પ્રેમ કરો છો તેની સાથે હોવુ એ નસીબ છે..
પણ તમને જે પ્રેમ કરે છે તેની સાથે હોવુ એ જિંદગી છે..

Thank you Mehul for sending this one.

વિધારૂપી ધનની કોઈ ચોરી કરી…

વિધારૂપી  ધનની  કોઈ  ચોરી  કરી  શકતું  નથી,  રાજા  દંડના રૂપમાં  લઈ  શકતો  નથી,  ભાઈ  ભાગ  પડાવી  શકતો  નથી, એનો  ભાર  હોતો  નથી, તે  દાન  દેવાથી  નિત્ય  વધે  છે  અને  સર્વ  ધનોમાં  શ્રેષ્ઠ  છે.